
આહારશૃંખલા, આહારજાળ અને ઊર્જાવાહન વિશે સરળ સમજૂતી
આહારશૃંખલા અને નિવસનતંત્રમાં ઊર્જાનું વહન
આહારશૃંખલા શું છે?
સજીવો પોતાનો ખોરાક મેળવો માટે એકબીજાં પર આધાર રાખે છે. આ ખોરાક મળવાની ક્રમબદ્ધ રીતને આહારશૃંખલા કહે છે. દરેક આહારશૃંખલામાં અનેક પોષકસ્તરો હોય છે.
- પ્રથમ પોષકસ્તર: સ્વયંપોષી અથવા ઉત્પાદકો
- દ્વિતીય પોષકસ્તર: શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ
- તૃતીય પોષકસ્તર: નાનાં માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ
- ચતુર્થ પોષકસ્તર: મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ
જંગલમાં: લીલી વનસ્પતિ → હરણ → વાઘ
તૃણભૂમિમાં: લીલી વનસ્પતિ → તીડ → દેડકો → સાપ → સમડી
તળાવમાં: લીલી વનસ્પતિ → વીંછી → માછલી → બતક
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન
ખોરાક દ્વારા ઊર્જા આપણા શરીર સુધી પહોંચે છે. ઉત્પાદનથી શરૂ કરીને વિવિધ ઉપભોગીઓ સુધી ઊર્જાનું ક્રમિક વહન થાય છે. જ્યારે ઊર્જાનું રૂપાંતરણ થાય છે ત્યારે તેની થોડી માત્રા વ્યય પામે છે જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
- સૂર્યપ્રકાશ → ઉત્પાદકો (લીલી વનસ્પતિઓ)
- ઉત્પાદકો → તૃણાહારીઓ
- તૃણાહારીઓ → માંસાહારીઓ → ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ
પ્રત્યેક પોષકસ્તર પર માત્ર 10% ઊર્જા આગળના સ્તર સુધી જ જાય છે. બાકીની ઊર્જા ઉષ્મા અને જીવક્રિયાઓમાં વપરાઈ જાય છે.
લીલી વનસ્પતિઓ સૌરઊર્જાનો માત્ર 1% જ ખાદ્ય ઊર્જામાં રૂપાંતર કરે છે.
આહારજાળ (Food Web)
વિભિન્ન આહારશૃંખલાઓ પરસ્પર જોડાયેલી હોય છે જેને આહારજાળ કહે છે. આથી એક જ સજીવ બહુવિધ શૃંખલાઓનો ભાગ બની શકે છે. આથી પર્યાવરણમાં આહાર સંબંધો વધુ જટિલ અને શાખાયુક્ત હોય છે.
જૈવિક વિશાલન (Biological Magnification)
જંતુનાશકો અને રસાયણો જમીન, પાણી અને વનસ્પતિઓમાં મિશ્રાઈને આહારશૃંખલામાં પ્રવેશ કરે છે. આ પદાર્થો અવિઘટનીય હોવાથી પોષકસ્તરદર પોષકસ્તર વધુ સંગ્રહ પામે છે. અંતે આ પદાર્થો ઊચ્ચકક્ષાના ઉપભોગીઓ માટે હાનિકારક બની શકે છે.
આહારશૃંખલા વિષયક MCQ
1. આહારશૃંખલાનું પહેલું પોષકસ્તર કયું છે?
2. નીચેના પૈકી કયો તૃતીય પોષકસ્તર હોય શકે?
3. જૈવિક વિશાલનનો સીધો સંબંધ કીસે છે?
4. પોષકસ્તર દરમિયાન ઊર્જાનો કેટલો ટકા જથ્થો આગળના સ્તરે પહોંચે છે?
5. આહારજાળનો અર્થ શું થાય?
6. નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ઊર્જા બિનઉપયોગી સ્વરૂપે વ્યય થાય છે?
7. નીચેનામાંથી કયો વિઘટક તરીકે કામ કરે છે?
8. જૈવિક વિશાલનની અસર સૌથી વધુ ક્યાં જોવા મળે છે?
9. આહારશૃંખલાની દરેક કડી કઈ રચના દર્શાવે છે?
10. નીચેના પૈકી કયો ઉદાહરણ તળાવની આહારશૃંખલાનું છે?
0 Response to "આહારશૃંખલા, આહારજાળ અને ઊર્જાવાહન વિશે સરળ સમજૂતી"
ટિપ્પણી પોસ્ટ કરો