લિંગી પ્રજનન Explained: એકદમ સરળ ભાષામાં + રંગીન ચિત્રો અને MCQs!

લિંગી પ્રજનન Explained: એકદમ સરળ ભાષામાં + રંગીન ચિત્રો અને MCQs!

લિંગી પ્રજનન

લિંગી પ્રજનન

લિંગી પ્રજનન શું છે?

લિંગી પ્રજનન એ એવી પ્રક્રિયા છે જેમાં સંતતિનું સર્જન કરવા માટે નર તથા માદા બંને લિંગના સજીવોની જરૂર હોય છે.

લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા

જ્યારે એક પિતૃકોષમાંથી DNAની પ્રતિકૃતિ થાય છે ત્યારે તેની ચોકસાઈ ટકાવવામા આવશે એવી કોઈ ખાતરી નથી. DNAની પ્રતિકૃતિ વખતે થતી ક્ષુદ્ર ભિન્નતાઓ નવાં લક્ષણો ઉત્પન્ન કરે છે.

  • DNA પ્રતિકૃતિ સંપૂર્ણ ચોક્કસ નથી.
  • ભિન્નતા ધીમે ધીમે વધે છે.
  • અનુક્રમણિકા ભિન્નતાઓ પેઢી દર પેઢી પરિવહિત થાય છે.

લિંગી પ્રજનનમાં, નર અને માદા બંનેમાંથી મળેલા DNAના સંયોજનથી ભિન્નતા વધુ ઝડપથી થાય છે.

અર્ધીકરણ (Meiosis)

DNA સંયોજનની સાથે સાથે અતિરેક ન થવો પણ જરૂરી છે. જો દરેક પેઢી બે સજીવોના DNAના સંયોજન દ્વારા બને, તો DNAની માત્રા વધતી જાય. આ સમસ્યાનું ઉકેલ અર્ધીકરણ છે.

  • અર્ધીકરણથી રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે.
  • DNA ની માત્રા પણ અડધી થાય છે.
  • આથી યુગ્મન પછી સંતતિમાં પુનઃસંયોજન દ્વારા યોગ્ય સંખ્યા પુનઃસ્થાપિત થાય છે.

પ્રજનન કોષોમાં ભિન્નતા

સરળ સજીવોમાં નર-માદા કોષો લગભગ સમાન હોય છે. પણ જટિલ સજીવોમાં:

  • નર જન્યુકોષ નાનો અને ચાલક હોય છે.
  • માદા જન્યુકોષ મોટો અને પોષણથી ભરેલો હોય છે.

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

પુષ્પના ચાર ભાગ: વ્રજપત્રો, દલપત્રો, પુંકેસર (નર જનાંગ) અને સ્ત્રીકેસર (માદા જનાંગ).

પુંકેસર

પરાગરજનું નિર્માણ કરે છે, જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે.

સ્ત્રીકેસર

  • અંડાશય (બીજાશય)
  • પરાગવાહિની
  • પરાગાસન

અંડાશયમાં અંડક હોય છે જેમાં એક અંડકોષ હોય છે. નર જન્યુકોષ આ અંડકોષ સાથે ફલન કરે છે.

ફલન અને વિકાસ

  • પરાગાસન પરાગરજનું સ્થાનાંતરણ છે.
  • પરાગરજ, પરાગવાહિની દ્વારા અંડક સુધી પહોંચે છે.
  • ફલનથી ફલિતાંડ બને છે, જે ભ્રૂણમાં પરિવર્તિત થાય છે.
  • અંડકથી બીજ બને છે અને બીજાશય ફળ બને છે.

પરાગાસનના પ્રકાર

  • સ્વફલન - તે જ પુષ્પમાં પરાગરજનું સ્થાનાંતરણ.
  • પરફલન - એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગરજનું સ્થાનાંતરણ.

પવન, પાણી અને પ્રાણીઓ પરાગાસન માટે સહાયક હોય છે.

લિંગી પ્રજનન MCQs

MCQ

1. લિંગી પ્રજનનમાં કોના જોડાણથી નવી સંતતિનું સર્જન થાય છે?

નર અને માદા પ્રજનન કોષો
ફક્ત નર કોષ
ફક્ત માદા કોષ
કોષવિભાજન વગર
સાચો જવાબ: નર અને માદા પ્રજનન કોષો

2. અર્ધીકરણ ક્રિયામાં શું થાય છે?

DNA બમણું થાય છે
રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે
કોઈ ફેરફાર નથી
RNA ની રચના થાય છે
સાચો જવાબ: રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે

3. પુષ્પના કયા ભાગે નર જનકોષનો ઉત્પત્તિ થાય છે?

સ્ત્રીકેસર
અંડકોષ
પુંકેસર
વજ્રપત્ર
સાચો જવાબ: પુંકેસર

4. ફલન પછી કઈ રચનામાં ભ્રૂણ વિકાસ પામે છે?

અંડાશય
અંડક
પરાગાસન
પરાગરજ
સાચો જવાબ: અંડક

5. સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય છે?

પુંકેસરથી
અંડાશયથી
પરાગવાહિનીથી
અંડકથી
સાચો જવાબ: પુંકેસરથી

6. પુષ્પનો સ્ત્રીજનન અંગ કયો છે?

સ્ત્રીકેસર
પુંકેસર
દળપત્ર
વજ્રપત્ર
સાચો જવાબ: સ્ત્રીકેસર

7. પરાગરજ ફૂટીને શું બનાવે છે?

અંડક
પરાગનાળિકા
ભ્રૂણ
અંડાશય
સાચો જવાબ: પરાગનાળિકા

8. ફલન શું છે?

પરાગરજનું ઉત્પન્ન થવું
નર અને માદા ગેમેટ્સનું મિલન
અંડાશયનું વિકાસ
અંડકમાંથી બીજ બહાર આવવું
સાચો જવાબ: નર અને માદા ગેમેટ્સનું મિલન

9. અંડક બીજશયમાં પરિવર્તિત થાય છે, તો અંડાશય શું બને છે?

પરાગરજ
ફૂલ
ફળ
પરાગાસન
સાચો જવાબ: ફળ

10. પરાગાસન કઈ પ્રક્રિયા માટે જરૂરી છે?

ફલન
અંકુરણ
ફળ ઉત્પત્તિ
ક્લોનેંગ
સાચો જવાબ: ફલન

0 Response to "લિંગી પ્રજનન Explained: એકદમ સરળ ભાષામાં + રંગીન ચિત્રો અને MCQs!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

In

In 2